Monday, September 22, 2014

જીવન-મૃત્યુની એક તુલનાત્મક કવિતા

મોદી સરકારની શપથવિધિને એક અઠવાડિયું માંડ વીતેલું ત્યાં કેન્દ્રિય પ્રધાન ગોપીનાથ મુંડેનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. એ વખતે આ કાવ્ય રચનાની પ્રથમ બે પંક્તિઓ લખી હતી. આજે રચનામાં વધુ શેર ઉમેર્યા છે:


પ્રમોદ મહાજન, દેશમુખ અને હમણાં ગયાં એ મુંડે

કાલે મારો'ય વારો આવશે, ડર છે મનમાં ઊંડે ઊંડે


જોઈ મેં કંઈક નવી કળીઓને ખીલતાં ક્યારે ક્યારે,

તો જોયાં મેં કેટલાંક પુષ્પોને પણ ખરતાં કૂંડે કૂંડે


મૃત્યુનો કોઈ મનાવે ઉત્સવ, કોઈને ઘેરી વળે ઉદાસી,

અભિગમ છે અલગ અલગ, ભિન્ન છે મતિ તુંડે તુંડે


વહાવી રહ્યા લોક મૃતકનાં અસ્થિ ગંગા કેરા જળમાં,

ને છાંટી રહ્યા ઐરાવત જીવનજળ સાત-સાત સૂંડે સૂંડે


વિચરી રહ્યા અહીં યમના દૂત ઝડપી લેવા  જીવને,

ફરતાં હોય છે અહીંતહીં જેમ હર ગલી ગલી કે ગુંડે 

No comments:

Post a Comment