Sunday, February 16, 2014

જીવન જીવવાનો સાચો મર્મ

ગાંધીધામ નિવાસી પરમ મિત્ર રજનીભાઈ અગ્રાવતના એક ફેસબુક અપડેટમાંથી સાભાર:

નિરર્થક શબ્દો, કહેવાતું જ્ઞાન. માહિતીઓના ખોખલાપણામાં અને કહેવાતી સભ્યતાના મોહમાં આપણે પ્રકતિનાં બીજા તત્ત્વો જેવી સ્વાભાવિકતા ગુમાવી બેઠા છીએ. કવયિત્રી કહે છે: આપણે કશું જ શીખવાની જરૂર નથી. કશુંય બોલવાની પણ જરૂર નથી. આપણે તો કુદરતની જેમ ઉદાર અને સરળ બની જવું જોઇએ અને આકાશની જેમ મુકત અને સામાન્ય બની જવું જોઇએ. ધરતીમાં રોપવામાં આવેલું બીજ અગાઉથી કશું શીખ્યું હોતું નથી. છતાં એ વિશાળ વૃક્ષ બની જાય છે. નદીઓ કોઇ પણ તાલીમ કે પૂર્વ અભ્યાસ વિના સહજ રીતે પોતાનો માર્ગ શોધતી વહેતી રહે છે. હવા કોઇનેય કશું પૂછ્યાગાછ્યા વગર જયાં જવું હોય ત્યાં પહોંચી જાય છે. સૂરજ કોઇને પૂછતો નથી કે કોને કેટલા તડકાની જરૂર છે. તો પછી આપણે શા માટે દરેક વાતે પૂછીપૂછીને ડગલાં માંડીએ છીએ? ચિંતામાં ને ચિંતામાં આખી આખી રાત ઊઘી શકતા નથી. કોઇપણ કામ કરતા પહેલાં કેટલા બધા દેખાડા કરીએ છીએ. નિરર્થક શબ્દોમાં જિંદગી વેડફી નાખીએ છીએ. 


(દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા હિન્દીમાં પ્રગટ થતા સામયિકના ૨૦૦૭ના જુલાઇ-ઓગસ્ટના અંકમાં પ્રકાશિત સિંધી કવયિત્રી રશ્મિ રમાનીની પણ એક કવિતાનો અનુવાદ) 

(૦૯-૦૨-૨૦૧૪) વીનેશ અંતાણીની (દિ.ભા.) ‘ડૂબકી’ કૉલમમાંથી.

No comments:

Post a Comment